સુરત

CISF અને SBI વચ્ચે નવી સમજૂતી : આકસ્મિક અવસાન અથવા ગંભીર અપંગતાના કિસ્સામાં નાણાકીય સહાય રૂ.એક કરોડ કરાઈ

સુરત: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) વચ્ચે નવી દિલ્હી સ્થિત CISF મુખ્ય મથક ખાતે નાણાકીય સહકાર માટે નવી સમજૂતી કરાર (MoU) થયા છે. જેમાં CISFના DIG/Adm શ્રીમતી આર. નાંબિયાર અને SBIના કોર્પોરેટ સેન્ટર-મુંબઈના જનરલ મેનેજર શ્રીમતી રંજના સિંહાએ હસ્તાક્ષર કર્યા છે.

CISF કલ્યાણ નિયામક મંડળ દ્વારા આ પગલું કર્મચારીઓના નાણાકીય કલ્યાણને સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે લેવાયું છે. કરાર મુજબ હવે દળના કોઈપણ સભ્યના આકસ્મિક અવસાન અથવા ગંભીર અપંગતાના કિસ્સામાં આપવામાં આવતી નાણાકીય સહાય રૂ. ૫૦ લાખથી વધારીને રૂ. ૧ કરોડ કરવામાં આવી છે. CISF જવાનો અને તેમના પરિવારજનોને વધુ આર્થિક સુરક્ષા મળશે. જે કેન્દ્ર સરકારની કર્મચારી કલ્યાણ માટે પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button