ગુજરાતસુરત

વાવાઝોડાની આગાહીને પગલે ૧ થી ૭ જૂન દરમિયાન સુવાલી તથા ડુમ્મસ બીચ બંધ રહેશે

માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ

સુરત: ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમ્મસ બીચ વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૬.૦૦ થી તા.૦૭/૦૬/૨૦૨૪ ના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button