સુરત

શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને ભારતીય જૈન સંઘ દ્વારા 17મી સપ્ટેમ્બરે દિવ્યાંગ સહાય શિબિર

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મદિવસે આયોજિત શિબિરમાં આશરે 700 દિવ્યાંગોને લાભ મળશે.

સુરત, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, જયપુર અને અમદાવાદ અને ભારતીય જૈન સંગઠન સુરતના સંયુક્ત ઉપક્રમે અને નેહા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 10 કલાકે ભગવાન મહાવીર યુનિવર્સિટી, વી.આઈ.પી. રોડ.સભાગૃહમાં મેગા દિવ્યાંગ સહાય અને સાધન સામગ્રી વિતરણ કેમ્પનો ઉદઘાટન સમારોહ યોજાશે .

માહિતી આપતાં સંસ્થાના પ્રમુખ પ્રો.ડો.સંજય જૈને જણાવ્યું હતું કે કેમ્પમાં શ્રવણ યંત્ર, દિવ્યાંગ વ્યક્તિ ઓ ને ટ્રાયસિકલ, વ્હીલ ચેર, વૈશાખી સાધન નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. માહિતી આપતાં સંસ્થાના સચિવ  સંજય જૈન ચાવતે જણાવ્યું હતું કે ઉદ્ઘાટનમાં રાષ્ટ્રીય સંત શ્રી ચંદ્રાનાન સૂરીશ્વરજી મહારાજ નું સાનિધ્ય મળશે અને કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી  દર્શના બેન જરદોશ, ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉપસ્થિત રહેશે.

મેયર હેમાલી બેન બોઘાવાલા, ચોર્યાસી વિસ્તાર ના ઝંખના બેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોર બિંદલ, વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કન્નુભાઈ ટેલર, રેલ્વેના પીસીએ સભ્ય  છોટુભાઈ પાટીલ, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ ના ચેરમેન  ગૌતમ જૈન અને વાઇસ ચેરમેન  લલિત એમ. જૈન, BJS કાઉન્સેલર  પ્રદીપ સિંઘી અને શ્રી મહેન્દ્ર ગાંગ, નેહા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના  લલિત બોહરા, ઉદ્યોગપતિ  કુંજ પંસારી, સામાજિક કાર્યકર  કૈલાશ હકીમ, ગુજરાત બીજેએસ પ્રમુખ  રાજેશ સુરાણા વગેરે ઉપસ્થિત રહેશે. પ્રોજેક્ટ ઈન્ચાર્જ શ્રી કૈલાશ ઝાબકના જણાવ્યા મુજબ, આ દિવ્યાંગ સહાય શિબિરમાં આશરે 700 જરૂરિયાતમંદ દિવ્યાંગોને લાભ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button