સુરત

સુરતમાં આમ આદમી પાર્ટી નું કાર્યકર્તા સંમેલન યોજાયું

સુરતઃ હાલમાં લોકસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતપોતાની સક્ષમતા મુજબ ભરૂચ તેમજ ભાવનગર લોકસભામાં પોતાનું ઉત્તમ યોગદાન આપેલ હતું.સુરત શહેરના તમામ કાર્યકર્તાઓએ અભૂતપૂર્વ યોગદાન આપીને ‘આપ’નાં ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરેલ હતી.

તે સંદર્ભે આજરોજ રામવાડી, ગઢપુર રોડ, સરથાણા ખાતે આમ આદમી પાર્ટી તરફ થી કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બિરદાવવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરા, પ્રદેશ મંત્રી રામભાઈ ધડુક, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, લોકસભા પ્રમુખ રજનીભાઇ વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી તેમજ તમામ કોર્પોરેટરો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ઉપરોક્ત પદાધિકારીઓએ કાર્યકારોને માર્ગદર્શન પણ આપ્યું હતું. ગોપાલભાઈ ઈટાલીયા અને મનોજભાઈ સોરઠીયાએ આવનાર કાર્યક્રમોની સમજ આપી અને મહાનગરપાલિકા ની ચૂંટણીમાં તૈયાર રહેવા હાંકલ કરી હતી. કાર્યક્રમનાં અંતે સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ સાથે ભોજન લીધું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button