Uncategorized
શ્રમણ ભગવાન પ્રભુ મહાવીર સ્વામીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સુરત : શ્રમણ ભગવાન પ્રભુ મહાવીર સ્વામીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી મહાવીર અન્નક્ષેત્ર (શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ.ચેરી. ટ્રસ્ટ )દ્વારા ઉર્જા ભૂમિ ગોપીપુરાના માર્ગ ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. જેમાં ગુરુભગવંતો ,જૈન પરિવાર ,જૈન શ્રેષ્ઠીઓ, તેમજ અજૈન પરિવારો પણ જોડાયા

પ્રભુ મહાવીર નો નયનરમ્ય રથ આ શોભાયાત્રા નું કેન્દ્રબિંદુ બન્યો પ્રભુ મહાવીરનો જય જયકાર સમગ્ર ગોપીપુરા ભૂમિમાં ગુંજ્યો. સમગ્ર ગોપીપુરામાં છાશ વિતરણ લાડવાનુ વિતરણ કરવામાં આવ્યું. શ્રી મહાવીર અન્નક્ષેત્ર ના પટાંગણમાં ભવ્ય શાસન વંદના કરવામાં આવી.



