
સુરત : ‘ પર્યાવરણ સંરક્ષણ ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના ‘પર્યાવરણ સંરક્ષણ ૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાના ‘હું છું પર્યાવરણ સંરક્ષક’ અભિયાનમાં સ્વયંભુ રીતે જોડાઈને પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવાપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. રાજયભરના પર્યાવરણપ્રેમી શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરીને નવો કીર્તિભાન-રેકોર્ડ સ્થાપવામાં આવ્યો .
માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રમ્હસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજયુકેશન કેમ્પસ અને વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, પ્રદૂષણ નિવારવા, જળ સંચય, પ્લાસ્ટિક મુક્તિ, ઊર્જા બચત, જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પો ને વેગ આપવા તથા સમાજમા જાગ્રતી લાવવાના હેતુસર રાજ્યના સૌથી મોટા અને વિશિષ્ટતા ધરાવતા પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર, ધારાસભ્ય, સ્થાનિક હોદેદારો, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી, રાજ્ય કમિટીના સંયોજક મિનેશભાઈ (કપડવંજ), વિજયભાઈ રાવળ (મહેસાણા) તથા અશ્વિનભાઈ પ્રજાપતિ (ગાંધીનગર) સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને પર્યાગરણ પ્રેમિઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે કાર્યક્રમમાં સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા ક્રમાંક 226 શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર એમને કરેલા મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ તેમજ પ્રકૃતિ સંરક્ષણને સમર્પિત થઈ જવાની ભાવનાને ધ્યાને લઈ પર્યાવરણ સંરક્ષણ અવાર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા.