સુરત
વચગાળાનું બજેટ થી ભારતનો બુલેટ ગતિએ વિકાસ થશે

સુરતના વેપારીઓએ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજૂ તેને આવકાર્યું હતું. જેમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટેક્સમાં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી. વચગાળાનું બજેટમાં ખાસ કરીને રેલવે, ઇન્ફ્રાસ્ટ્રકચર, એગ્રીકલ્ચર વગેરેના વિકાસ પર ખાસ ભારે મૂકવામાં આવેલ છે. ‘ઉડાન’ સ્કીમ હેઠળ એઓર્ટનો વિકાસ કરવામાં આવશે. હાઉસીંગ સેક્ટરનો વિકાસ થાય તે માટે પણ ખાસ એલાન કરવામાં આવેલ છે. આથી આ વચગાળાનું બજેટને વિકસિત ભારતની ગેરંટીવાળુ બજેટ કહી શકાય. સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ આ વચગાળાનું બજેટમાં જોવા મળે છે.
એકંદરે આ વચગાળાનું બજેટ ભારતનો બુલેટ ગતિએ વિકાસ થશે તેવું કહી શકાય.
– CA પારસ કુમાર શાહ



