પલસાણા ખાતે ભગવાન શ્રી મહાકાલ તથા સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર મહાયોજનાનું ભૂમિપૂજન 29 એપ્રિલ રોજ
ધ્વજ વિમોચન પણ કરવામાં આવ્યું

સુરત : શ્રી મહાકાલેશ્વર સાલાસર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા 203, મેટ્રો ટાવર ખાતે આવેલ ટ્રસ્ટના કાર્યાલયમાં ઉજ્જૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પ્રદીપ ગુરુજીની પાવન હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યત્વે જાણકારી આપવામાં આવી હતી કે સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ 29 વીંઘા જમીન પર ભગવાન શ્રી મહાકાલ તથા સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે.આ મહાયોજનાનું ભૂમિપૂજન અગાઉ 1 માર્ચ 2026ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે તારીખમાં ફેરફાર કરીને 29 એપ્રિલ 2026ના રોજ નક્કી કરવામાં આવ્યું છે.
પ્રદીપ ગુરુજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ભૂમિપૂજન દેશના પ્રખ્યાત સંત-મહાત્માઓ તેમજ રાજકીય મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સ માં ટ્રસ્ટ માં સભ્યો દ્વારા ધ્વજ વિમોચન પણ કરવામાં આવ્યું હતું,કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સત્યનારાયણ ગોયલ, કોષાધ્યક્ષ શ્રી રવિ કાપુરે, ટ્રસ્ટી શ્રી રાજેન્દ્ર પટવારી, તુલસીરામ હેડા, ભાવિક ઠક્કર તેમજ સુનીલ પાંડે હાજર રહ્યા હતા.



