સુરત

આવનાર પેઢીના ભવિષ્ય માટે ફરી એક વખત નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન બનાવવાના છે –  સી.આર.પાટીલ

સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમા બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયુ

સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમા કાર્યકર્તા સંમેલન યોજાયુ. આ કાર્યક્રમમા રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ પ્રસાંગીક સંબોધન કર્યુ હતું.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ કાર્યકર્તાઓને પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક પછી એક રાજયમા ભાજપની સરકાર બનાવતા અશ્વમેધ યજ્ઞ તૈયાર કર્યો છે તેનો રોકવાની કોઇ રાજકીય પાર્ટીમા તાકાત નથી. મોદી ગુજરાતમા વિકાસ કરી દેશ સમક્ષ ગુજરાત મોડલ રજૂ કર્યુ અને નરેન્દ્રભાઇ મોદીને દેશની જનતાએ દેશના વડાપ્રધાન બનાવ્યા. હવે ત્રીજી વખત નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાનની હેટ્રીક કરવા જઇ રહ્યા છે. આવનાર પેઢીના ભવિષ્ય માટે મોદીને વડાપ્રધાન બનાવવાના છે.

શ્રી પાટીલએ વધુમા જણાવ્યું કે, ભાજપના બૂથ પ્રમુખો તેમજ પેજ કમિટિ આખા દેશના રાજયમા પેજ કમિટિની સિસ્ટમને અપનાવી છે. આખા દેશમા ભાજપના કાર્યકર્તાઓ પેજ કમિટિ બનાવી રહ્યા છે.  દેશમા કરેલા કામો થી જનતાને તેમના પર વિશ્વાસ અને પ્રેમ વધી રહ્યો છે.જનતાને આજે મોદી  પર વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમા દેશ સુરક્ષીત છે, દેશ વિકાસના પંથે આગળ વધશે.

લોકસભાની ચૂંટણીમા આ વખતે જનતા ઇતિહાસ રચશે તેવો વિશ્વાસ છે કારણ કે દેશમા મોદી લહેર ચાલી રહી છે. કોંગ્રેસનો કોઇ નેતા ભાજપના ઉમેદવાર સામે લડવા તૈયાર નથી, કોંગ્રેસને હવે જબરજસ્તી લડાવવા પડે છે. 26 બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરવાનો છે. બૂથના કાર્યકર્તાઓ પેજ કમિટિના સભ્યોનુ ચોકક્સ પણે મતદાન થાય તેની તકેદારી રાખવી પડશે.

શ્રી પાટીલએ જણાવ્યું કે, જયા સુઘી તમને તમારા બુથના કાર્યકર્તાઓ તમારુ નેતૃત્વ નહી સ્વીકારે ત્યા સુઘી પાર્ટી તમને જવાબદારી નહી આપે. બુથમા ચૂંટણી સમયે કેવી રીતે મતદાન થઇ શકે તેની વિસ્તૃત માહિતી આપી.બૂથ પ્રમુખ નક્કી કરે તો ચોક્કસ પણે વધુ મતદાન થઇ શકે છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને વિશ્વાસ છે કે ગુજરાતમા તમામ બેઠકો પર ઐતિહાસીક લીડ સાથે વિજય મળશે.

આ કાર્યક્રમમા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના ગુહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકાર ના મંત્રીશ્રીઓ  મુકેશભાઈ પટેલ,  પ્રફુલભાઈ પાનસેરિયા,શહેર મહામંત્રી તેમજ સુરત લોકસભાના ઉમેદવાર  મુકેશભાઈ દલાલ, પ્રદેશ મંત્રી  શીતલબેન સોની, શહેર ના પ્રમુખ  નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર  દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યશ્રીઓ  કુમારભાઈ કાનાણી,  સંગીતાબેન પાટીલ,  અરવિંદભાઈ રાણા,  કાંતિભાઈ બલ્લર,  પ્રવીણભાઈ ઘોઘારી,  મનુભાઈ પટેલ,  સંદીપભાઈ દેસાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ  જનકભાઈ બગદાણા,ડેપ્યુટી મેયર  ડૉ.નરેન્દ્રભાઈ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા  શશીબેન ત્રિપાઠી, પૂર્વ મેયર  હેમાલીબેન બોઘાવાલા, ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન  પરેશભાઈ પટેલ સહિત મહામંત્રીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ પ્રદેશના પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button