અદાણી પોર્ટ્સે ૫૦૦ મિલિયન ટન કાર્ગોનું સીમાચિહ્ન વટાવી રાષ્ટ્રની વિકાસ ગાથામાં તેની ભૂમિકાને મજબૂત બનાવી

અમદાવાદ, ૧ એપ્રિલ ૨૦૨૬: ભારતના પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ કિનારા ઉપરાંત ૧૫ વ્યૂહાત્મક રીતે સ્થિત બંદરો અને ટર્મિનલ્સ ઉપરાંત પૂર્વ-પશ્ચિમ વૈશ્વિક વ્યુહાત્મક કોરીડોરમાં ૪ આંતર રાષ્ટ્રીય બંદરોની વ્યાપક ઇકોસિસ્ટમમાં સમાવિષ્ટ ૧૨૭ જહાજોનો વૈવિધ્યસભર દરિયાઈ કાફલો, ૧૨ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સહિત સંકલિત લોજિસ્ટિક્સ ક્ષમતાઓ, ૩.૧ મિલિયન ચોરસ ફૂટના વેરહાઉસ અને તેની માલિકીના પ્લેટફોર્મ પર કાર્યરત ૨૫,૦૦૦થી વધુ ટ્રક સાથે પુષ્કળ માત્રામાં કાર્ગોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવતી દેશની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગિતા અને અગ્રણી બંદર વિકાસકાર અને સંચાલક અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ૫૦૦ મિલિયન ટન કાર્ગોનું સંચાલન કરવાના સીમાચિહ્નને વટાવ્યાની આજે જાહેરાત કરી છે.
આ સિદ્ધિ કંપનીના ઉત્ક્રાંતિ કાળમાંની એક નિર્ણાયક ક્ષણ બનવા સાથે ભારત રાષ્ટ્રના માળખાગત પરિવર્તનની વધતી જતી તાકાતને રેખાંકિત કરે છે. એક સ્કેલ ઉપર સીમાચિહ્ન હાંસલ કરવા ઉપરાંત તે લાંબા ગાળાની પ્રતીતિ, કાર્યકારી શિસ્ત અને રાષ્ટ્રીય વિકાસના હેતુ પર કેન્દ્રીત વિશ્વ-સ્તરીય લોજિસ્ટિક્સ મંચના ઉદયને પ્રતિબિંબિત કરે છે.
૧૯૯૮માં એક જ બંદરના વિકાસ કરવાની આગેવાની સંભાળીને ભારત અને તેનાથી આગળ ૧૯ બંદરો અને ટર્મિનલ્સ સુધી વિસ્તરેલા અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (APSEZ )ના માળખા સુધી ભારતના વેપાર, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાના મહત્વપૂર્ણ સક્ષમકર્તા તરીકે કંપની વિકસી છે.
ગૌરવની આ યાદગાર ક્ષણને વધાવતા અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “બંદરો ફક્ત વેપારના દરવાજા બની નહી રહેતા તે રાષ્ટ્રીય આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મકતા અને વિધીવિધાનના પણ પ્રવેશદ્વાર છે. તેમણે કંપનીના ગ્રાહકો, ભાગીદારો અને APSEZ પરિવારના પ્રત્યેક સભ્યનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે આ સર્વેનો સમર્પણભાવ અને વિશ્વાસથી આ સીમાચિહ્ન હાંસલ કરવું શક્ય બન્યું છે. આ તકે ગૌતમ અદાણીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોનો પણ આભાર માનતા કહયું હતું કે તેઓની વિકાસોન્મુખ નીતિ અને માળખાગત સુવિધાઓના નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ અદાણી પોર્ટસ અને સેઝના વિકાસનો પાયો રોપવામાં મદદ કરી છે.
ગૌતમ અદાણીએ ઉમેર્યું હતું કે “અદાણી પોર્ટસના ૫૦૦ મિલિયન ટન કાર્ગો સંચાલનને પાર કરવાની આ ઘડી ભારતની વિકાસગાથામાં અમારા દાયકાઓ જૂની શ્રધ્ધામાં વિશ્વાસનો સંકેત છે. અમે ફક્ત બંદરો જ નહીં, પરંતુ રેલ, રસ્તાઓ, ટ્રકિંગ, વેરહાઉસ અને કાર્ગો ગેટવેને એકબીજા સાથે સાંકળી લેતું એક નમુનેદાર પરિવહન અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ વર્ષોથી નિર્માણ કર્યું છે. APSEZ નું શ્રેષ્ઠ આપણાથી આગળ છે. અને ભારતનું શ્રેષ્ઠ તો તેનાથી આગળ છે.
૫૦૦ મિલિયન ટનની યાત્રા પણ વધતા સ્કેલ અને અમલીકરણની એક રસપ્રદ કથા છે. એક સમય એવો હતો જ્યારે અદાણી પોર્ટસ અને સેઝને તેના પ્રથમ ૧૦૦ મિલિયન ટને પહોંચતા ૧૬ વર્ષ લાગ્યા, પણ પછીના દરેક ૧૦૦ મિલિયન ટનના સોપાન વધુ ઝડપથી સર કરવામાં આવ્યા છે. આ ગતિ તેના પ્લેટફોર્મના વધતા સ્કેલ, કાર્યક્ષમતા, સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક ઊંડાણને પ્રતિબિંબિત કરે છે.
આ સીમાચિહ્નની પરિપૂર્તિ સાથે અદાણી પોર્ટસ ૨૦૩૦ સુધીમાં ૧ અબજ ટન કાર્ગોનું સંચાલન કરવાની દીશામાં તેની આગામી મુખ્ય મહત્વાકાંક્ષા તરફ નિશ્ચિતપણે પ્રયાણ કરી રહ્યું છે. આ સાથે આગામી તબક્કામાં પ્રવેશતી વેળાએ કંપની ફક્ત વિશ્વ-સ્તરીય માળખાગત સુવિધા જ નહીં, પરંતુ સ્કેલ, સેવા, કાર્યકારી શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય હેતુથી વ્યાખ્યાયિત વિશ્વ-સ્તરીય સંસ્થા બનવા માટે પણ પ્રતિબદ્ધ છે.



