સુરત

યશ્વીના ત્રીજા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ૧૦૧ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે

સુરત : સમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઉભું કરવા વિવિધ સેવાયજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જેના ભાગરૂપે સતત બે વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતાવિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરતું આવ્યું છે. અને આ વર્ષે પણ આ જ સત્કાર્યને આગળ ધપાવતા તારીખ 14 માર્ચ, 2026ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે યશવી પરિવાર ખુબ જ ઉત્સાહિત છે.

પરેશ ખંડેલવાલે કહ્યું કે સેવાના આ યજ્ઞની શરૂઆત 2024 થી થઈ હતી જ્યાં પ્રથમ વર્ષે 21 અને 2025માં બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ, આ વર્ષે 2026માં ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. જ્યારે ઘરની દીકરી ઉંબરો ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય, ત્યારે પરિવારમાં જે ઉમંગ અને લાગણી હોય છે, તેવી જ લાગણી યશવી પરિવારને આ દીકરીઓ માટે છે. દીકરીઓના પાનેતર અને મહેંદી પ્રસંગથી માંડીને કરિયાવર સહિતની લગ્નપ્રસંગની તમામ વિધિઓ સંપૂર્ણ જવાબદારી સાથે સંપન્ન કરવી એ અમારો ઉદ્દેશ્ય છે.

​આ વર્ષે સમૂહ લગ્નના વિવિધ પ્રસંગોમાં ​પાનેતર વિધિ 25 ફેબ્રુઆરીએ, ​મહેંદી પ્રસંગ 11 માર્ચે યોજાશે..જ્યારે ​તૃતીય સમૂહ લગ્ન તારીખ 14 માર્ચ, 2026ના રોજ રાખવામાં આવ્યા છે. આ ઉમદા કાર્યમાં સહભાગી થવા અને નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે યશવી ફાઉન્ડેશન હાર્દિક આમંત્રણ પાઠવે છે..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button