બિઝનેસ

ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના સ્વાભિમાન કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું

મુંબઈ : ૧૧ અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટેની એક પાંખ એવા અદાણી ફાઉન્ડેશનની સ્થાપનાની આગામી ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ૩૦મી વર્ષગાંઠ નજીક આવી રહી છે ત્યારે તેની અગ્રીમ મહિલાઓના સશક્તિકરણની ’સ્વાભિમાન’ પહેલના કદાવર વિસ્તરણની જાહેરાત કરી છે, તેનો ધ્યેય સમગ્ર ભારતમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવાનો છે.

ગુરુવારે મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આયોજિત એક કાર્યક્રમ “સ્વાભિમાન – ધ રાઇઝ ઓફ શી” માં આ ઘોષણા કરવામાં આવી હતી, જેમાં મહિલાઓની આજીવિકા, ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય સ્વતંત્રતા પર વધતી જતી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી આ પહેલના વિસ્તરણના પ્રથમ તબક્કાનો હેતુ પહેલા વર્ષમાં એક લાખ મહિલાઓને સશક્ત બનાવી તે અંતર્ગત મહિલાઓ દ્વારા સંચાલિત સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકતા અને પાયાની ઉદ્યોગસાહસિકતા માટે નવી તકો ઊભી કરવાનો છે.

મહારાષ્ટ્ર સરકારના મહિલા આર્થિક સશક્તિકરણ અને સ્વ-સહાય જૂથ વિકાસ માટેની નોડલ એજન્સી, મહિલા આર્થિક વિકાસ મહામંડળ (MAVIM) સાથે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ આધારીત ભાગીદારીમાં શરુ થયેલો ’સ્વાભિમાન’ કાર્યક્રમ શરુથી જ મુંબઈમાં વંચિત સમુદાયોની ૪,૫૦૦ થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ, ઉદ્યોગસાહસિકતા વિકાસ અને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા દ્વારા ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પીઠબળ આપી રહ્યો છે.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી  શિલિન અદાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અદિતિ તટકરે, મુંબઈના મેયર શ્રીમતી રીતુ તાવડે અને મહિલા આર્થિક વિકાસ મહામંડળના મેનેજિંગ ડિરેક્ટર  નંદિની આવડેએ હાજરી આપી હતી.

એક અગત્યની તાકીદની બેઠકમાં હાજરી આપવાનું થતાં ઇચ્છા જાહેર કરી હોવા છતા આ કાર્યક્રમમાં હાજરી નહી આપી શકેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે પાઠવેલા એક હૃદયસ્પર્શી સંદેશમાં તેમણે મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય માટે અદાણી સમૂહ અને અદાણી ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા.

મુંબઈમાં મહિલાઓની-આગેવાની હેઠળના સમુદાય-સંચાલિત બજાર સ્વતેજા માર્ટને ઉપસ્થિત અતિથિગણે સંયુકત રીતે ખુલ્લું મૂકયું હતું. આ બજાર સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને તાલીમ, બજારોના જોડાણો અને ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા તેમના ઉત્પાદનોના વેચાણ માટે તૈયાર મંચ પૂરો પાડે છે. આ વેળા સ્વતેજા માર્ટ પહેલ હેઠળ ક્લાઉડ કિચન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

મહાનુભાવોએ સ્વાભિમાન કાર્યક્રમ દ્વારા જેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેવી મહિલાઓની પ્રેરણાદાયી સફર દર્શાવતી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કર્યું હતું.
આ કાર્યક્રમ સમગ્ર મુંબઈમાં શરુથી જ ૮00 થી વધુ મહિલાઓને “લખપતિ દીદી” બનવા માટે સક્ષમ બનાવી ચૂક્યો છે, જે માળખાગત આજીવિકા અને ઉદ્યોગસાહસિક સહાયની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે.

શ્રીમતી તટકરેએ જણાવ્યું હતું કે સ્વાભિમાન એ મહિલા આર્થિક વિકાસ મહામંડળના સૌથી સફળ સાહસોમાંનો એક કાર્યક્રમ છે અને મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યો છે,” “નાણાકીય સાક્ષરતા અને ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરીને, તે મુખ્યમંત્રી માજી લડકી બહિન યોજના જેવી પહેલોને પૂરક બનાવી દર્શાવે છે કે હિસ્સેદારી, મહિલાઓ માટે ટકાઉ તકો કેવી રીતે ઊભી કરી શકે છે.

રીતુ તાવડેએ જણાવ્યું હતું કે ભારતીય સમાજમાં વધતી ‘શી પાવર’ ધારાવી જેવા સમુદાયોમાં સ્પષ્ટપણે દેખાય છે. સ્વાભિમાન જેવી પહેલ નાણાકીય આત્મવિશ્વાસ અને ઉદ્યોગસાહસિકની ભાવના બનાવીને વંચિત મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે,”.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button