સુરત

સુરત ક્રેડાઈ એસોસિયેશન ૧૧૧૧ બોર હાર્વેસ્ટિગના કામો હાથ ધરશે

સુરત ક્રેડાઈ દ્વારા 'જળસંચય જન ભાગીદારી અભિયાન હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુરતઃ વરસાદી પાણીના એક એક ટીપાનો સંચય અને સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જન ભાગીદારી અભિયાન’ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સુરત ક્રેડાઈના ઉપક્રમે અવધ યુટોપીયા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કેમ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણીને સંગ્રહ કરવાના કાર્યનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ થઈ ચુકયો છે. સમગ્ર રાજ્યમાં ૮૦,૦૦૦ બોરને લગતા વોટર હાર્વેસ્ટિંગના કામો કરવાનું કમિટમેન્ટ મળ્યું છે. આવનારા સમયમાં ગુજરાતમાં બે થી અઢી લાખ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ જણાવી વરસાદી પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરી એક એક ટીપાને યોગ્ય મેનેજમેન્ટ કરી ભૂગર્ભમાં ઉતારવાનો તેમજ જિલ્લાના બિન ઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તેજ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયની ૨૦ નદીઓ જોડવા પર હસ્તાક્ષર થઈ ચુક્યા છે એમ જણાવી વધુમાં કહ્યું કે, ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે ‘જળસંચય અભિયાન’ આશીર્વાદરૂપ નીવડશે. અત્યાર સુધી આપણે પાણી મેળવવા બોર કરતા હતા પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઇને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન ઉપાડયું હોવાનું ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું કે, ૧૪/૪૫ ના મકાનમાં ૧૦૦ એમ એમ વરસાદ પડે તો પણ તેના દ્વારા એક લાખ લીટર પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય છે. ક્રેડાઈના સભ્યોને પોતાના ઘર, મહોલ્લા અને સોસાયટીમાં પાણીનું મહત્વ સમજીને જળસંચયના કાર્યો કરવાની હાંકલ કરી હતી.

આ અવસરે ક્રેડાઈના ચેરમેન સંજયભાઈ માંગુકીયાએ જણાવ્યું હતું કે, કુદરતે આપણને ઘણા સંસાધનો આપ્યા છે, ત્યારે આપણે પણ કુદરતને કંઈક આપવાનું છે. જેથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી આવનારી પેઢી સાથે સમગ્ર માનવજાતિની ઉમદા સેવા થઈ શકશે. એમ જણાવી આ તકે તેમણે સૌને જળ સંચય જન ભાગીદારીના અભિયાનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ક્રેડાઈના પ્રમુખ ડો.જિજ્ઞેશ પટેલે આવનારી પેઢીને સમૃદ્ધ જળવારસો આપવા જળસંચય અભિયાનમાં વધુને વધુ સભ્યો જોડાઈને તેને સફળ બનાવવા હાંકલ હાકલ કરી હતી.

આ તકે સુરત ક્રેડાઈ એસોસિયેશન દ્વારા ૧૧૧૧ બોર હાર્વેસ્ટિગના કામો કરવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશ માવાણી, ક્રેડાઈના ઉપપ્રમુખ મગનભાઈ ડોબરિયા, સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ક્રેડાઈના સભ્યો સર્વે લવજીભાઈ, સંજયભાઈ દેસાઈ, મનોજભાઈ અગ્રવાલ, સંજય સુરાના, જેન્તીભાઈ એકલેરા, શ્રેયાંશભાઈ, વિજયભાઈ ધામેલિયા, તથા મોટી સંખ્યામાં અન્ય ક્રેડાઈના હોદ્દેદારો, અગ્રણી ઉદ્યોગકારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button