
સુરત : ભારતની ઉચ્ચ એન્જિનીયરીંગ IIT માં પ્રવેશ માટે લેવાયેલ JEE એડવાન્સની પરીક્ષાનું આજ રોજ પરિણામ NTA દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પી.પી.સવાણી શાળાના માશ્રીત પટોળીયાએ જનરલ કેટેગરીમાં 167 મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર ભારતમાં સુરતનું નામ રોશન કર્યું હતું.
વિશેષમાં જોગાણી તીર્થે એ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને 308 મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ જોગાણી તીર્થ અશ્વિનભાઈએ પૂરું પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. અને ગુજરાતી માધ્યમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બન્યો હતો.
આ ઉપરાંત જનરલ કેટેગરીમાં 187, 244, 268, 308, 415, 418, 554, 718, 949 આ રેન્ક મેળવીને સુરતમાં ડંકો વગાડયો હતો.પી.પી.સવાણીના ટોટલ 7 વિદ્યાર્થીઓએ 500 અંદર અને 10 વિદ્યાર્થીઓએ 1000 અંદર રેન્ક મેળવ્યો હતો આ ઉપરાંત ટોટલ 76 વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ક્વોલીફાઈડ થયા હતા. આ ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણીએ આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.