માત્ર 19 ટકા બિઝનેસ લીડર્સ જ જિઓ-પોલિટિકલ જોખમનું મૂલ્યાંકન કરે છેઃ ટાટા એઆઈજી-ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ રિપોર્ટ

સુરત: મધ્ય પૂર્વમાં તાજેતરમાં વધી રહેલા જિઓ પોલિટિકલ તણાવના પગલે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન અને બિઝનેસ કામગીરી નબળી પડી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 2026ની શરૂઆતથી તણાવ વધતાં આર્થિક અનિશ્ચિતતા વધી છે. ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ કંપની અને ડન બ્રેડસ્ટ્રીટ ઈન્ડિયા દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત રિસર્ચ હોરાઇઝન વોચ ઇમર્જિંગ રિસ્ક રિપોર્ટ અનુસાર, 63% બિઝનેસને ભીતિ છે કે, આંતરરાષ્ટ્રીય સંઘર્ષો તેમના કામકાજમાં નોંધપાત્ર રીતે વિક્ષેપ પાડશે, જો કે હાલમાં ફક્ત 19% બિઝનેસ લીડર્સ નિયમિત પણે ભૂરાજકીય જોખમનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે સંકલિત સપ્લાય ચેઇન ધરાવતા ભારતીય વ્યાપારો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને રેડ સી કોરિડોર જેવા મુખ્ય દરિયાઈ માર્ગો પર વધતા તણાવને કારણે જેમાં 60%થી વધુ ઉત્તરદાતાઓએ લોજિસ્ટિક્સ અને પરિવહન પડકારોને મુખ્ય અવરોધ તરીકે પ્રકાશિત કર્યા છે. નાણાકીય અસ્થિરતા પણ જોખમ તરીકે ઉભરી રહી છે, જેમાં 48% વ્યવસાયો આર્થિક મંદી, વધતા વ્યાજ દરો અને ફુગાવાથી ચિંતિત છે, જેના કારણે કંપની ઓલિક્વિડિટી આયોજન અને મજબૂત જોખમ વ્યવસ્થાપન માળખા પર વધુ ભાર મૂકે છે.
ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ અને ડન બ્રેડસ્ટ્રીટ ઈન્ડિયા દ્વારા આઈટી, ITeS,કેમિકલ્સ, ફાર્માસ્યુટીકલ્સ, ઓટો અને ઓટો એન્સિલરી તથા નાણાકીય સર્વિસિઝ સહિત 25 ક્ષેત્રોના 300 ભારતીય બિઝનેસ લીડરને આવરીને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
ઈન્સ્યોરન્સ કંપની લિ.ના કોમર્શિયલ બિઝનેસ ડિસ્ટ્રિબ્યુશનના હેડ દીપક શંકરે જણાવ્યું હતું કે, “હોરાઈઝન વોચ ઈમર્જિંગ રિસ્ક રિપોર્ટમાં જિઓપોલિટિકલ જોખમોનું મૂલ્યાંકન કરવામાં વ્યવસાયો વચ્ચે તૈયારીઓમાં નોંધપાત્ર તફાવત દર્શાવ્યો છે. ઘણી કંપનીઓ વૈશ્વિક સંઘર્ષો અને આર્થિક અસ્થિરતાના વિક્ષેપકારક પ્રભાવને વધુને વધુ ઓળખી રહી છે, જ્યારે ઘણા લોકો પાસે હજુ પણ આ જોખમોનું મૂલ્યાંકન કરવા અને ઘટાડવા માટે માળખાગત પદ્ધતિઓનો અભાવ છે.



