બિઝનેસ

વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિકમાં 54 નવા ગ્રાહક ટચપોઈન્ટ્સ સાથે નિસાન મોટર ઇન્ડિયાએ કર્યું વ્યાપક નેટવર્ક વિસ્તરણ

ગુરુગ્રામ, 10 એપ્રિલ, 2026: અનેક શહેરોમાં રિટેલ ફૂટપ્રિન્ટ વધારવાની ઐતિહાસિક પહેલ હેઠળ નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એનએમઆઈપીએલ) એ આજે જણાવ્યું કે વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન દેશભરમાં કંપનીએ 54 નવા ગ્રાહક ટચપોઈન્ટ્સ શરૂ કર્યા છે. આ ભારત ખાતે કંપનીના વિકાસના સફરમાં એક મહત્વપૂર્ણ પડાવ છે. આ નેટવર્ક વિસ્તરણ નિસાન મોટર ઇન્ડિયાની પ્રોડક્ટ ઓફેન્સિવ સ્ટ્રેટેજીનો મહત્વપૂર્ણ સ્તંભ છે અને દેશભરમાં કંપનીની મજબૂત હાજરી દર્શાવે છે.નવા શરૂ કરાયેલા ટચપોઈન્ટ્સમાં 3એસ (સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ), 2એસ અને 1એસ આઉટલેટ્સનો સમાવેશ થાય છે. આને સમગ્ર ભારતમાં વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના કારણે નિસાનનું ફૂટપ્રિન્ટ વધુ મજબૂત બન્યું છે.

નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર  સૌરભ વત્સે જણાવ્યુંકે,“વર્ષ2026 ના પ્રથમ ત્રિમાસિકમાં સમગ્ર ભારતમાં 54 નવા ગ્રાહક ટચપોઈન્ટ્સ શરૂ કરવું નિસાનના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અમારી લોકપ્રિય નવી નિસાન મેગ્નાઇટ સાથે તાજેતરમાં ઓલ ન્યૂ ગ્રેવાઇટની લોન્ચિંગ અને આવનારી ઓલ ન્યૂ નિસાન ટેક્ટોન તેમજ સી-એસયુવી 7-સીટર સાથે અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. આવા સમયમાં નેટવર્ક વિસ્તરણ અમારી વ્યૂહરચનાનો મુખ્ય આધાર છે. આ વિકાસ ગ્રાહકો સુધી પહોંચ, સુવિધા અને બ્રાન્ડ અનુભવને સુધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાથે જ, અમે નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધી કુલ ટચપોઈન્ટ્સની સંખ્યા 400 સુધી પહોંચાડવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.”

નવા આઉટલેટ્સમાં નિસાનના વૈશ્વિક રિટેલ ધોરણો મુજબ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ અહીં તાલીમબદ્ધ સેલ્સ અને સર્વિસ વ્યાવસાયિકોની નિમણૂક કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને વિશ્વસ્તરીય અનુભવ મળી શકે.

આ વિસ્તરણ એ સમયે કરવામાં આવ્યું છે જ્યારે નિસાન ભારતીય બજારમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. માર્ચ 2026માં 10,388 યુનિટ્સના કુલ વેચાણ સાથે નિસાને મજબૂત પ્રદર્શન કર્યું. તેમાં સ્થાનિક હોલસેલ વેચાણ 4,408 યુનિટ્સનું રહ્યું, જે છેલ્લા પાંચ વર્ષમાં એક મહિનાનું સૌથી વધુ વેચાણ છે. તેમાં માસિક ધોરણે 98 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ગયા મહિને 5,980 કારોના નિકાસ પણ કરવામાં આવ્યા.આ શ્રેષ્ઠ પ્રદર્શન નિસાનની ભારતીય વ્યૂહરચનાના વિકાસને દર્શાવે છે, જે મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને વધતા નેટવર્ક ફૂટપ્રિન્ટના કારણે શક્ય બન્યું છે. નવી નિસાન મેગ્નાઇટની સતત સફળતાએ આ વિકાસની પાયાની રચના કરી છે, જ્યારે ઓલ ન્યૂ નિસાન ગ્રેવાઇટના લોન્ચિંગથી મુખ્ય સેગમેન્ટમાં બ્રાન્ડની હાજરી વધુ મજબૂત બનીછે.

નેટવર્ક વિકાસ અને ભારતીય ગ્રાહકોને વધુ મૂલ્ય આપવાના લક્ષ્ય સાથે, ગ્રાહક-કેન્દ્રિત પહેલોમાં સતત રોકાણ દ્વારા નિસાન ભારતીય બજાર માટે પોતાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા મજબૂત બનાવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button