
સુરત : મલાબાર ગ્રુપના ચેરમેન એમ. પી. એહમદને લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ 2026 ખાતે પ્રતિષ્ઠિત બિઝનેસ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એમ. પી. અહમદને મળેલું આ સન્માન તેમની ઉદ્યોગસાહસિક તરીકેની સફર અને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને વૈશ્વિક સ્તરે આગળ લાવવાના તેમના યોગદાનને ઉજાગર કરે છે. આજે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશ્વની પાંચમી સૌથી મોટી જ્વેલરી રિટેલ ચેઇન અને ભારતીય મૂળની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તરીકે ઉભરી છે.
મુંબઈ ખાતે આયોજિત આ ભવ્ય સમારંભમાં નીતિ ઘડનારાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ બિઝનેસ અને મનોરંજન ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ,નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, લોકમત મીડિયા ગ્રુપના ચેરમેન વિજય દરડા તથા અન્ય મંત્રીઓ, અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા.
આ સન્માનત પ્રાપ્ત કરવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ. પી. અહમદે જણાવ્યું હતું કે, “લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ્સમાં બિઝનેસ ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરવો મારા માટે ગૌરવની બાબત છે. આ સન્માન સમગ્ર મલાબાર પરિવારની સંયુક્ત મહેનત અને વર્ષો સુધી અમારા ગ્રાહકો દ્વારા આપેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે..”



