એજ્યુકેશન

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર ખાતે કુંવારીકા પુજન, માતૃશક્તિ વંદના, શિક્ષક સન્માન સમારોહ યોજાયો

કારોબારી બેઠક અને સામાન્ય સભા યોજાઈ

સુરતઃ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર દ્વારા શાળા ક્રમાંક ૪૨,૪૩,૧૯૦ ભાઠેના ખાતે કુંવારિકા પૂજન, માતૃશક્તિ વંદના કાર્યક્રમ, શિક્ષક સન્માન કાર્યકમ, કારોબારી બેઠક તેમજ સામાન્ય સભાનું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. જેમા પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પટેલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર દ્વારા કુંવારીકા પૂજન અને માતૃશક્તિ વંદનાનો કાર્યક્રમ રાષ્ટ્રીય સેવિકા સમિતિના પ્રાંત બૌદ્ધિક પ્રમુખ ડૉ. જીલ્ના પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો જેમાં રાણી અબક્કાના જયંતિના ૫૦૦ વર્ષ પૂર્ણ થવાના સંયોગ અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ડૉ. જીલ્ના પટેલ દ્વારા રાણી અબક્કાનો જીવન અને બહાદુરી બાબતે માહિતી આપી રાષ્ટ્રની રક્ષા માટે તેમનું યોગદાન બાબતે વક્તવ્ય આપ્યું.

સુરત મહાનગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરના શ્રેષ્ઠ શિક્ષકોને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરવા માટે પ્રતિવર્ષે સન્માનિત કરતો હોય છે. જેના ભાગ સ્વરૂપે આજે શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મહાનગર કાર્યવાહ કેતનભાઈ લાપસીવાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડીયા, ઉપાધ્યક્ષા રંજનાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી. મહાનગર HTAT સંવર્ગના મહામંત્રી સુરેશભાઈ જોષી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ જિલ્લાના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક, ખાદીનો રૂમાલ અને સંગઠનના ખેસ પેહરાવી સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે સંગઠનના પ્રાંત અને સંભાગના હોદ્દેદારોનું ખેસ પેહરાવી આવકારવામાં આવ્યા.

મહાસંઘના અધ્યક્ષ મહેશભાઈ પટેલ દ્વારા સંગઠનની કાર્યપ્રણાલી અને સિધ્ધિઓની ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ મહાસંઘના મહામંત્રી દિનેશભાઈ વાઘ દ્વારા વર્ષ 2020 થી 2024 દરમિયાન સુરત મહાનગરમાં સંગઠન કઈ રીતે મજબૂત બન્યુ તે બાબતે વિસ્તૃત છણાવટ કરી. સંગઠન થકી યોજવામાં આવેલ કર્તવ્ય બોધ, ગુરુ વંદના, પ્રકૃતિ પૂજન, ભારતમાતા પૂજન, રાજમાતા અહિલ્યાબાઈ હોલકર જયંતીની, રાણી અબક્કા જયંતિ ઉજવણી જેવા કાર્યક્રમોની માહિતી આપવામાં આવી. વર્ષના પ્રોસેડીંગનું વાંચન કરી તેને મંજૂર કરવામાં આવ્યું નાણાંકીય વર્ષમાં થયેલ ખર્ચ પણ સામાન્ય સભામાં મંજુર કરવામાં આવ્યા.

શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ રંજનાબેન ગોસ્વામી દ્વારા કુંવારિકા પૂજન અને માતૃશક્તિ જેવા રચનાત્મક કાર્યક્રમના આયોજન બદલ સંગઠનને અભિનંદન પાઠવી બિરદાવવામાં આવી હતી, ત્યાર બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા સુરત મહાનગરના શિક્ષકો દ્વારા થતુ બાળકોલક્ષી આયોજન અને કામગીરીની પ્રશંસા કરવામાં આવી, તેમજ મહાસંઘ દ્વારા આયોજિત કાર્યક્રમની પ્રશંસા કરવામાં તેમજ શિક્ષકો માટે મહાસંઘ દ્વારા થતા પ્રયાસો અને રજૂઆતો માટે તેઓનો નિયમિત સહયોગ મળતો રહેશે એવી ખાતરી આપવામાં આવી.

ત્યારબાદ મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા પ્રાથમિક સંવર્ગના વિવિધ પ્રશ્નો માટે મહાસંઘ દ્વારા થયેલ પ્રયાસો અને મળેલ સફળતા વિશે વાત કરવામાં આવી જેમાં 4200/ ગ્રેડ પે , OPS અને HTAT ના પ્રશ્નોનું નિરાકરણની વાત કરવામાં આવી. તેઓ દ્વારા મહાનગર ને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટેની વાત કરવામાં આવી જેમાં મૃત્યુ સહાય, ગ્રેજુએટી, પેશન બાંધણી, ઘરભાડામાં વધારો, વિવિધ પરીક્ષાઓમાં અનુભવનો લાભ વગેરે બાબતોની રજૂઆત વિભાગમાં કરી તેનું નિરાકરણ લાવવા ખાત્રી આપવામાં આવી.

કાર્યક્રમના આગળના ચરણમાં મુખ્ય વક્તા અને પ્રાંત અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટ દ્વારા સુરત મહાનગર દ્વારા યોજવામાં આવેલ શિક્ષક સન્માન કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી.

તેઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કે વિચારધારાને વરેલું સંગઠન છે માટે તેઓ પ્રશ્નોના સમાધાનની સાથે રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. સમાજ માટે કાર્ય કરતું સંગઠન છે પ્રશ્નોના સમાધાન માટે આગવી રજૂઆતની શૈલી છે જેમાં વિવિધ અને અનોખા કાર્યક્રમ આપવામાં આવે છે જેમાં સત્યાગ્રહ છાવણી ખાતે આખો દિવસ તડકામાં ધરણા કરવા, મહાપંચાયતનું આયોજન, મહામતદાન કરી મતપત્રકો CMO માં જમાં કરાવવા જેની કાર્યક્રમોની સીધી નોંધ સરકારશ્રી અને વિભાગ દ્વારા લેવામાં આવે છે અને આપણા પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય છે.

રાષ્ટ્રીય સ્વયં સંઘના મહાનગર કાર્યવાહ કેતનભાઈ લાપસીવાળા દ્વારા સંઘ શતાબ્દી વર્ષ વિશે માર્ગદર્શન આપ્યું ત્યારબાદ સદર શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ થી ૨૦૨૯ ના કાર્યકાળ માટે સુરત મહાનગરના હોદેદારોની સાથે સુરત મહાનગર ના 4 ઝોનના હોદ્દેદારો અને HTAT સંવર્ગના હોદ્દેદારો ની ઘોષણા કરવામાં આવી જેને ઉપસ્થિત તમામ સભાસદો દ્વારા ઓમ્ ના ધ્વનિ થી અનુમોદન આપવામાં આવું. ત્યારબાદ સંગઠન મંત્રીશ્રી જીજ્ઞેશભાઈ ઠાકર દ્વારા કલ્યાણમંત્ર બોલી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.
કાર્યક્રમના અંતે તમામે સાથે ભોજન પ્રસાદ લઈ છુટા પડ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button