પોલીસ કમિશનર ઓફિસ સામે જૈનાચાર્યનો વિરોધ સત્યથી ઘણે ઘણે દૂર છે

સુરત વેસુ શ્રી આગમોદ્ધારક ધાનેરા ભવન જૈન સંઘમાં સંઘ સ્થાપક પૂ. પ્રવચનપ્રભાવક આચાર્ય.શ્રી સાગરચંદ્ર સાગર સૂ.મહરાજ સાહેબ. ઓળીની આરાધનાર્થ શ્રી સંઘની વિનંતિથી પધાર્યા છે. છેલ્લા કેટલાક સમય બિનજવાબદાર- અનધિકૃત વ્યક્તિઓ દ્વારા પૂજયશ્રીને બદનામ કરવાના અવનવા પેંતરા રચાયા છે.
પોલીસ કમિશનર ઓફિસ પાસે કેટલાક બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. બહેનોએ શાસનરક્ષાનું કામ કહીને વિહાર ગૃપ મહિલાઓમાં એક મેસેજ મૂકવામાં આવ્યો હતો. તેથી બહેનો પહોંચ્યા હતા. ત્યાં આ વિરોધ પ્રદર્શન કરવાનું છે તેની જાણ થતાં તેઓ આવેદન આપવા પહેલા જ નીકળી ગયા હતા. તેઓમાં વેસુ સંઘના બહેનો પણ હતા.
તેઓએ જણાવ્યું હતું કે અમારા સંઘમાં પૂજ્યશ્રી પ્રત્યે સૌને માન સન્માન- અહોભાવ છે. ઉપાશ્રય- દહેરાસરનું નિર્માણ પૂજ્યશ્રીના માર્ગદર્શનમાં જ થયું છે. પૂજ્યશ્રી ઉપર મૂકવામાં આવેલ આક્ષેપો બિનપાયાદાર છે. પુરાવા રજૂ કરવા માટે સમુદાયના ગચ્છાધિપતિશ્રીએ પત્ર – વકીલ મારફત નોટીસ ત્રણ ત્રણ વાર મોકલવામાં આવેલ. ત્યારબાદ પણ પુરાવા ન આપતા વાયરલ કરેલ ફોટાઓની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી હતી અને તે રીપોર્ટના આધારે પૂજ્યશ્રીને આરોપમુક્ત જાહેર કરવામાં આવેલ છે.
પાલડી પોલીસ સ્ટેશને પણ ફરિયાદ દફતરે કરવામાં આવી છે. કોર્ટમાં કેસ દાખલ કરવા અત્યંત જુઠા- નિમ્નકક્ષાના આક્ષેપો એફિડેવીટમાં લખવામાં આવ્યા છે, કે જેમાં વેસુ સંઘનો ઉપાશ્રય પોર્નોગ્રાફીમાં વેચેલ ફોટોગ્રાફના પૈસામાંથી બનાવ્યાના આક્ષેપો કરાયા છે. જે નંદનીય અને માત્ર બદનામ કરવાના ઈરાદાઓ સ્પષ્ટ કરે છે.
આજે આપેલ આવેદનમાં પણ ટ્રસ્ટીઓ માટે ખૂબ ગંદા શબ્દો વાપરીને આ બહેનોએ પોતાની માનસિકતા જાહેર કરી છે. સંઘમાં પ્રતિષ્ઠાની પણ તૈયારીઓ જોરમાં છે. આ માટે પૂ. શાસન પ્રભાવક આચાર્ય. શ્રી અશોકસાગર સૂ.મહરાજ સાહેબ. આચાર્ય.નયચંદ્રસા.સૂ.મહરાજ સાહેબ. આચાર્ય. શ્રી પૂર્ણચંદ્રસાગર સૂ.મહરાજ સાહેબ. 5-4-26ના રોજ પધારનાર છે.



