એજ્યુકેશન

દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમાની રચના અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના શૈક્ષણિક પ્રવૃત્તિઓ

સુરત: આજ રોજ દીપ દર્શન વિદ્યા સંકુલ, પ્રાથમિક વિભાગ, અંગ્રેજી માધ્યમમાં પર્યાવરણ અનુકૂળતા લક્ષી ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન ખૂબ આનંદપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક શ્રી દશરથભાઈ પટેલ, તમામ આચાર્ય અને શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો.

આ દિવસની વિશેષતા એ હતી કે, આજે ટેકનોલોજી અને AI ના યુગમાં દીપ દર્શન સ્કુલના નાના બાળકો એ પર્યાવરણને અનુલક્ષીને ઝાડના પાન અને પ્રાકૃતિક માટીનો ઉપયોગ કરીને ગણેશજીની પ્રતિમા બનાવવામાં ખાસ રસ લીધો. આ રીતે વિસર્જન સમયે પાણીમાં રહેલા જીવ માટે ગણેશજીની પ્રતિમા આશીર્વાદરૂપ બની રહી છે, અને હાનિકારક પુરાવા નહીં બની શકે.

શિક્ષણની સાથે સંસ્કૃતિ અને પરંપરાઓને મનમન્નાવું, તે માટે બાળકો એ સ્વિદિષ્ટ નૈવેદ્ય બનાવવામાં રસ દાખવ્યો. તેમાં નાળિયેરના મોદક, ખજૂરના મોદક, ચોકલેટના મોદક તથા વિવિધ પ્રકારનાં ચૂરમાના લાડુ અને મોતીચૂરના લાડુનો સમાવેશ થતો હતો.

જ્યાં આજકાલના બાળકો ઘણા વખતથી પોતાના ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે દિશાહીન બનતા જોવા મળે છે, ત્યાં આ સ્કુલએ પોતાના વિદ્યાર્થીઓને પોતાની ઓળખ અને સંસ્કૃતિને સમજવાનો અને આત્મસાત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.

આજના કાર્યક્રમમાં, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને યોગ્ય પસંદગી કરવા માટે, સ્કુલના બાળકોના વાલીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button