એજ્યુકેશન

ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ યોજાયો

17 ફેકલ્ટીના 3640 યુવા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

સુરત. વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં રવિવારે  પાંચમાં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે  વિજય શર્મા, એફ.એ. એન્ડ સીએઓ. મિનિસ્ટ્રી ઓફ રેલ્વે અને મિનાક્ષી લેખી ફોરમોર મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર એક્ષટન્લ એફર એન્ડ કલર્ચર ઓફ ઈન્ડીયા કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. જેમાં 17 કોલેજોમાંથી 3640 બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ ફાર્મસી, બેચલર ઓફ એજ્યુકેશન, માસ્ટર ઓફ એજ્યુકેશન, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ફિઝિકલ એજ્યુકેશન, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ કોમ્પ્યુટર ડિગ્રી ઓફર કરેલ છે. જેમાંથી 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 48 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અને 24 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.

પાચમાં દીક્ષાંત સમારોહના કાર્યક્રમ સંદર્ભે ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના ભગવાન મહાવીર એજયુકેશન ફાઉન્ડેશન ના ડો. સંજય જૈન તેમજ મેનેજીંગ ટ્રસ્ટી અનિલ જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર યુનિવર્સિટી (BMU)નો પાચમા પદવીદાન સમારોહ તારીખ ૦૮-૦૨-૨૦૨૬ નો રોજ બપોરે 4:30 યોજાયો હતો. વિજય શર્મા, એફ.એ. એન્ડ સીએઓ. મિનિસ્ટ્રી ઓફ રેલ્વે અને મિનાક્ષી લેખી ફોરમોર મનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર એક્ષટલ એફર એન્ડ કલર્ચર ઓફ ઇન્ડીયા. આર્કિટેક્ચર, રિસર્ચ (પીએચડી), વિજ્ઞાન, કોમ્પ્યુટર એપ્લીકેશન, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ, એજ્યુકેશન (એમડી), એજ્યુકેશન (બી.એડ), એન્જીનીયરીંગ, આર્ટસ, મેનેજમેન્ટ (એમબીએ, એમસીએ), ફાર્મસી જેવા વિવિધ સ્ટ્રીમના 2611 વિદ્યાર્થીઓનો કોન્વોકેશન ડિપ્લોમા શારીરિક શિક્ષણ ( B.P.Ed, શારીરિક શિક્ષણ (M.P.Ed), નર્સિંગ સહિત 17 પ્રવાહોમાં પદવી એનાયત કરવામાં આવ્યા હતા.

યુનિવસિટીના પ્રેસીડન્ટે કોનવોકેશન ઓપન અને કોનવોકેશન ની પ્રેસીડેન્ટલ સ્પિચ આપી અહેવાલ રજુ કયો હતો. મિનાક્ષી લેખી ફોરમોર મનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર એક્ષટલ એફર એન્ડ કલર્ચર ઓફ ઇન્ડીયા એ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે જીવનમાં હમેશા પ્રથમ આવવુ એજ મહત્વનું નથી પરતું શ્રેષ્ટ બનવું સક્ષમ, જવાબદારી અને વ્યવહારીક બનવું એ લક્ષ્ય હોવુ જોઈએ પદવી મેળવનાર વિધાર્થીઓનો જીવનપથ કંડારશે. અને કારકિર્દી માં સફળતા મેળવવા માટે પદવી ઉપકાર બનશે.એમ જણાવી સમાજ રાજય અને દેશના હિતમાં આદર્શ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

વિજય શર્મા, એફ.એ. એન્ડ સીએઓ. મનિસ્ટ્રી ઓફ રેલ્વે એ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે આજના પદવી દાન સમારોહ માં વિધાર્થી મેળલ પદવી દેશ, સમાજ અને રાજયના વિકાશ માં ઉપયોગ કરી યુનિવસિટી નું નામ રોશન કરશો. આજે દિક્ષાંત સમારોહમાં વિધાર્થીઓ ડિગ્રી પ્રાપ્ત કરી જાહેરજીવનમાં ડગ માંડવા જઈ રહ્યા છે. ત્યારે જીવનાના યુવાકાળ દરમ્યિાન કરેલ શ્રેષ્ઠ તપસ્યા અને મહેનતથી જીવનમાં આગળ વધીએ. તેમણે વિધાર્થી રાષ્ટ્રઅને સમાજના હિત માટે મૂલ્ય નિષ્ઠતા અને પ્રમાણિકતા સાથે યોગદાન આપવાનો અનુરોધ કયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button