ડૉ. પી.એસ. રાઠોડનું એલ.પી. સવાણી એકેડેમીના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરક સત્રનું આયોજન કરાયું
પ્રેરક વક્તા ડૉ. પી.એસ. રાઠોડે વિદ્યાર્થીઓ અને વાલીઓને ટિપ્સ આપી

સુરતઃ શહેરના વેસુ સ્થિત એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા સંચાલિત એલપી સવાણી એકેડેમી દ્વારા પ્રેરક વક્તા ડૉ. પી. એસ. રાઠોડ દ્વારા એક પ્રેરણાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીગણ (ધોરણ 8 થી 12) અને તેમના વાલીઓ માટે યોજાયું હતું. આ ગ્રૂપના ચેરમેન માવજીભાઈ સવાણી વાઈસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણી અને ડિરેક્ટર શ્રીમતી પુર્વી સવાણી ના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રસિદ્ધ પ્રેરણાદાયક સ્પીકર ડૉ. પી.એસ. રાઠોડ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા, ડૉ. પી.એસ. રાઠોડે કહ્યું કે સૌથી મોટી જરૂરિયાત આત્મજ્ઞાન છે. બાળકો જે ભણે છે તેનાથી તેમના જીવનમાં કોઈ ફરક પડતો નથી. તમે કયું કામ કરો છો, તમારી પ્રતિબદ્ધતા શું છે? આ મહત્વપૂર્ણ છે. સુરત ઉદ્યોગસાહસિકોની ભૂમિ છે. અહીં ચાર પાસ લોકોએ પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે.જેમણે વ્યક્તિગત વિકાસ, નેતૃત્વ અને સફળતા વિષે પોતાના ઊંડા વિચારો અને અનુભવો રજૂ કર્યા.
ઘર્મેન્દ્ર સવાણી જણાવ્યું હતું કે આજે ડો. પી.એસ. રાઠોડનું પ્રેરણાદાયક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા ડો. પી. એસ. રાઠોડે પેરેન્ટને ટિપ્સ અને સરસ માર્ગદર્શન કર્યું હતું. આ પ્રોગ્રામ પેરન્ટ અને સ્ટૂડન્ટ બન્નેનું હતું. સ્કૂલ દ્વારા પરીક્ષા પહેલા જ મોટીવેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી પરીક્ષા દરમિયાન છાત્ર ડિસ્ટર્બ ન થાયઆ સત્રમાં અંદાજે 4000 વાલીઓએ ઉપસ્થિતિ આપી હતી અને કેટલીક પ્રસિદ્ધ વ્યક્તિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી
આ સત્રનું મુખ્ય ઉદ્દેશ હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ grandes સપનાનું દ્રષ્ટિકોણ બનાવે, ફોકસ રહે અને જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહે. ડૉ. રાઠોડના ઉદ્દબોધનથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને ખૂબ પ્રેરિત થયા હતા, અને તેમણે શૈક્ષણિક અને જીવન સફળતા માટે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું.
સત્ર દરમિયાન, એલ પી સવાણી એકેડમીની પ્રિન્સીપાલ શ્રીમતી મૌતોષી શર્મા તથા એલ.પી. સવાણી એકેડેમી, વેસુની ટીમે તમામ માનનીય મહેમાનો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કર્યું અને આ કાર્યક્રમના ઉદ્દેશ વિષે ચર્ચા કરી
આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, અને હાજર તમામ લોકો ને નવી ઊર્જા, જ્ઞાન અને આત્મવિશ્વાસ સાથે ભરપૂર અનુભવ થયો.