સુરત

“કવિતાના રંગ, એકલ મંચ” વિશાળ કવિ સંમેલન 26 માર્ચે

સુરત, એકલ શ્રીહરિ વનવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા “કવિતાના રંગ, એકલ મંચ” વિશાળ કવિ સંમેલનનું આયોજન ગુરુવાર, 26 માર્ચે સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં સાંજે સાડા છ વાગ્યે કરવામાં આવશે. શુક્રવારે સિટી લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના બોર્ડ રૂમમાં આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપતા ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ સીએ મહેશ મિત્તલે જણાવ્યું કે ટ્રસ્ટના 29માં વાર્ષિક ઉત્સવ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવશે.

કવિ સંમેલનમાં સુપ્રસિદ્ધ કવિ અશોક ચક્રધર, અનામિકા અંબર, શશિકાંત યાદવ, અનિલ અગ્રવંશી, શંભુ શિખર, ગૌરવ શર્મા કાવ્ય પાઠ કરશે. ટ્રસ્ટના સુરત ચેપ્ટરના પ્રમુખ રમેશ અગ્રવાલ (વિનાયક)એ જણાવ્યું કે કાર્યક્રમનો ઉદ્દેશ્ય વનવાસી સમાજના ઉત્થાન માટે શહેરીજનોને જાગૃત કરવાનો છે.

પત્રકાર પરિષદમાં એકલ શ્રીહરિ વનવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યો વિશે જણાવતા કહ્યું કે વનવાસી સમાજના ઉત્થાન, શિક્ષણ વગેરે માટે ટ્રસ્ટ સતત પ્રયાસો કરી રહ્યું છે. આ દરમિયાન ટ્રસ્ટ દ્વારા શ્રીહરિ વ્યાસ કથાકાર તાલીમ કેન્દ્ર, શ્રીહરિ સંસ્કાર શિક્ષણ કેન્દ્ર, રાષ્ટ્રીય સત્સંગ સ્પર્ધા, દેશની સામે આવી રહેલા પડકારો અને એકલ શ્રીહરિ દ્વારા તેનું સમાધાન, શ્રીહરિ મંદિર રથ વગેરે વિશે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકલ શ્રીહરિ વનવાસી વિકાસ ટ્રસ્ટના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રતનલાલ દારુકા, પવન ઝુનઝુનવાલા, મહિલા સમિતિના મંજુ મિત્તલ, અંકુર બીજકા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button