સુરત મહાનગર ભાજપની શહેર કારોબારી બેઠક યોજાઈ

સુરતઃ આજ રોજ તારીખ ૧ જાન્યુઆરીને સોમવારના રોજ પંડિત દીન દયાલ ભવન ભાજપ કાર્યાલય ઉધના સુરત ખાતે સાંજે ૬.૦૦ કલાકે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી શહેર કારોબારીની બેઠક યોજાઈ. આ બેઠક નું સંચાલન શહેર મહામંત્રી કાળુભાઈ ભીમનાથ દ્વારા કરવામાં આવ્યું. બેઠકની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સન્માન વોર્ડના પ્રમુખ શ્રી ઓ દ્વારા કરવામાં આવ્યું વંદે માતરમ ના ગાન થી શરૂ કરેલ.
આ બેઠકમાં પ્રાસંગિક ઉદબોધન અને શોક પ્રસ્તાવ અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા દ્વારા કરવામાં આવ્યું. ગત ૧૭ ડિસેમ્બરના રોજ મોદી દ્વારા ઉદ્ઘાટીત ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ દરમિયાન યોજાયેલ રોડ શોમાં કાર્યકર્તાઓ તથા ધારાસભ્યઓ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન વિશે વાત કરી હતી ત્યારબાદ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વિશ્લેષણ અને ૨૦૧૪ પછીનું બદલાયેલા ભારત દેશ સંદર્ભે વિસ્તૃત માહિતી પ્રેરકભાઈ શાહ આર્થિક સેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ નમો એપ, વિકસિત ભારત એમ્બેસેડર તથા સોશિયલ મીડિયા મા કાર્યકર્તાઓની સક્રિયતા હોવી જોઈએ તે વિશે જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ મેયર દ્વારા વિકસિત ભારત યાત્રા અને સ્વચ્છતા અભિયાનમાં સુરતના યોગદાન બાબતે જણાવ્યું હતું. બેઠકના અંતે રાજકીય પ્રસ્તાવ ને અનુમોદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો આભાર પ્રસ્તાવ ને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ દ્વારા અનુમોદના અપાઈ હતી આ કારોબારી બેઠકમાં સુરત મહાનગરના પ્રભારી શીતલ સોની, ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા, પ્રવીણભાઈ ઘોઘારી, સંદીપભાઈ દેસાઈ , સુરત મહાનગરના સહુ પદાધિકારી, કોર્પોરેટર, વિવિધ સેલ મોરચાના પદાધિકારી, શિક્ષણ સમિતિ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.