
સુરત: દેશની સૌથી વિશ્વસનીય અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ પૈકી એક કલ્યાણ જ્વેલર્સ સુરતમાં એલપી સવાણી રોડ ખાતે તેનો પ્રથમ શોરૂમ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ બ્રાન્ડ ન્યૂ શોરૂમનું ઉદ્ધાટન બોલિવુડ સ્ટાર રણબીર કપૂરના હસ્તે થશે. જે તેના ગ્રાહકોને સર્વિસ આધારિત શોપિંગ અનુભવ પ્રદાન કરશે. શોરૂમનું ઉદ્ધાટન 27 એપ્રિલ, 2024ના રોજ સાંજે 5.30 વાગ્યે થશે.
આ લોન્ચિંગની ઉજવણી કરતાં કલ્યાણ જ્વેલર્સે તેના પ્રિય ગ્રાહકોને શોરૂમમાંથી જ્વેલરી ખરીદવા પર વધુને વધુ લાભ ઓફર કરશે. જેમાં માર્કેટમાં સૌથી નીચો અને તેના તમામ કંપની શોરૂમના માપદંડોને આધિન કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ જાહેર કર્યો છે. જે આ નવા શોરૂમમાંથી ખરીદી કરવા પર લાગૂ થશે. આ ઓફર માત્ર મર્યાદિત સમયગાળા માટે જ છે.
આ જાહેરાત કરતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર રમેશ કલ્યાણરામને જણાવ્યું હતું કે,“કંપની તરીકે અમે અનેક સફળતાઓ હાંસલ કરી છે. તેમજ ગ્રાહકના શોપિંગ અનુભવમાં વધારો કરવા માટે સર્વગ્રાહી ઈકોસિસ્ટમ બનાવવા અનેક મોટા પગલાં લીધા છે. ઘણા વર્ષોથી અમે ઉત્તર પ્રદેશમાં અમારી હાજરીનું વ્યૂહાત્મક વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારૂ માનવું છે કે, સુરતમાં પ્રથમ અપકમિંગ શોરૂમ સાથે અમે ગુજરાતમાં અમારા ગ્રાહકોને સરળ અને અનુકૂળ સુવિધા પણ ઉપલ્ધ કરાવતાં અમારો માર્કેટ હિસ્સો વધુ મજબૂત બનાવીશું.”
કલ્યાણ જ્વેલર્સનો ઓલ-ન્યૂ શોરૂમ ખાતે મુહુર્ત-ભારતમાંથી ક્યુરેટેડ કરેલી બ્રાઈડલ જ્વેલરીનો આકર્ષક કલેક્શન રજૂ કરશે. તેમજ કલ્યાણની તેજસ્વી (પોલ્કી જ્વેલરી), મુદ્રા (હસ્તકળા આધારિત એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વ (ખાસ પ્રસંગો માટે ડાયમંડ), અંતારા (વેડિંગ ડાયમંડ્સ), હેરા (ડેઈલી વેયર ડાયમંડ્સ), રંગ (કિંમતી રત્નોજડિત જ્વેલરી), હેરા (ડેઈલી વેયર ડાયમંડ્સ), અને હાલમાં જ લોન્ચ થયેલી લિલા (રંગબેરંગી રત્નો અને ડાયમંડની જ્વેલરી) સહિત લોકપ્રિય બ્રાન્ડનું કલેક્શન પણ ઉપલબ્ધ કરશે.